વિશ્વ આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે .બાળક જેમ માતા ની ગોદ માં નિશિન્ત થૈ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ હળવો થઇ જાય છે. ગૃહસ્થ જિવનની ઇમારત પ્રેમ થી બનેલી છે. તેના પાયા માં પ્રેમ છે. તેની દિવાલો પ્રેમ ની ઇટો થી ચણેલી છે. તેના છત માં પ્રેમ છે. પરિવાર માં સવ જીવ પણ પ્રેમ રુપી તાતણાં થી બંધાયેલા છે.પ્રેમ એ પ્રભુ નાં અમાપ સ્નેહ નું નિરુપણ છે. લાગણી ભી નાં સબંધો પ્રેમ દ્વારા જ સચવાતા હોય છે. પ્રેમ એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ-દ્વેષ, ઇર્ષા -વેર રુપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે.પ્રેમ દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે.ઘરમાં બધા એક બીજાની હુફ ના ભુખ્યા હોય છે. પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં , સત્સંગ કરવો ,એ જ માત્ર યાત્રા નથી . કુટુંબ માં સર્વે સા થે રહે ,સાથે જીવે, એક્બીજા નાં સુખ દુઃખ ના ભગીદાર બની પણ એક યાત્રા છે.પરિવાર એટ્લે પતિ -પત્નિ નો ઘર સંસાર એવું નથી . પરિવાર માં તો માતા-પિતા હોય, ભાઈ-બહેન પણ હોય, દીકરાઓની વહુ ઓ પણ હોય, બધાંજ એક બીજા ની સાથે હળી -મળી ને ,પ્રેમ ને આનંદ થી રહે તેનું નામ છે પરિવાર… પરિવાર માં પોતાના જ સ્વાર્થ નો નહીં , સમગ્ર કુટુંબ ના હિત નો વિચાર કરવાનો હોય છે.એક બીજા માટે ઘસાવવાનું હોય,
એક્બીજા ને આપવાની ભાવના હોય , લેવાની વૃત્તિ ના હોય ..પરિવાર માં સંવાદિતાની સુંગન્ધ હોય,
વિખવાદ ન હોય અને તો જ પરિવાર એક યાત્રાબની શકે છે. મંગલ તીર્થ બની શકે છે..
ટુંક માં જે ઘર આનંદથી ભર્યું ભ્રુર્યું હોય, પત્ની સારા અને હિતકારી વચનો બોલતી હોય,જેનું ધન પ્રભુ કાર્ય
માટે વપરાતું હોય…..
સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો ની મર્યાદા પાળવાનું
અઘ…રું લાગે છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા
લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.
આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.
દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો
ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં
મોટો હોય પણ એ છે કે
જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક
કરવા હમેશા તત્પર રહે….
સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો નિ મર્યાદા પાળવાનું
અઘરું લાગે છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા
લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.
આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.
દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો
ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં
મોટો હોય પણ એ છે કે
જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક
કરી ફિટવા હંમેશા તૈયાર હોય છે.
ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ
મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની
ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય, . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,
જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…
ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ
મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની
ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય, . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,
જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…
વપરાતું હોય, બાળકો આજ્ઞા પાલક હોય, જ્યાં અતિથિ નો સત્કાર થતો હોય, વડિલોનો આદર કરાતો હોય ,
અને ઘરના બધાજ સભ્યો હળી મળી ને પ્રભુ ની પ્રાર્થના કરતાં હોય તેનું ગૃહસ્થ જિવન ધન્ય બને અને મંગલ
તીર્થ બની શકે.જ્યાં કલેશ હોય ત્યાં નો પ્રભુ વાસ હોતો નથી.
Comments
Post a Comment