Posts

Showing posts from June, 2017

સ્ત્રીત્વ

સ્ત્રી ને પુરુષ શા માટે ચાહે છે ? કારણકે સ્ત્રી પુરુષ ને ચાહે છે !! માટે જ આ ચાહત છે !! શું એ સ્ત્રી વિદ્વાન છે ? હોંશિયાર છે? પુરુષના શોખ માં ભાગીદાર થઈ શકે છે માટે?? ના, એ પુરુષ ને ચાહે છે !! એટલું જ બસ છે .. સ્ત્રી - પુરુષ બંને એક બીજા ને ચાહે છે,, અને આ ચાહવાની પ્રક્રિયા એટલે આપણે જેને ચાહિયે છીએ એના જેવું બની જવું તે !! અમે બને એક છીએ " એવો આત્મીયતાનો અનુભવ ''  આ જ ખરું લગ્ન........!!! હું નું તું માં વિગલન, એજ પ્રેમ !! ત્યાં સ્ત્રી પુરુષ નો સ્થુળ જાતી ભેદ હોય જ નહીં, પુરુષ એ જ્ઞાન છે, અને સ્ત્રી એ સ્નેહ છે ..... પ્રેમની આ ભૂમિકા એ જ્ઞાન સ્નેહમય બને ! સ્નેહ જ્ઞાનમય બને !.... સ્નેહ અને જ્ઞાન એક બીજા ને આલિંગ્યા જ કરે !! એ પળ જ સ્વર્ગ છે .... શોભાના, સ્ત્રી પુરુષ બંને સખા ની કોટી એ હોવા જોઈએ,,બસ ....!! આપણે એક બીજા ને આમ અનંત સુધી ''આનંદમય'' પ્રેમ કરતા રહીએ .....!! આવો પ્રેમ મળે એટલે પ્રભુતા આપોઆપ મળી જાય ...!! પ્રેમ રસ વગર જ્ઞાન ભક્તિ નકામી !! પ્રેમ વિના મોક્ષ હોય જ નહિ !! અન્યોઅન્યનું એક બીજામાં સ્વાર્પણ એજ પ્રેમ ....!! સાચ

પુષ્પ અને પાંદડા

રેલવે સ્ટેશને ગયેલા માણસને ખબર હોય છે કે પોતે સ્ટેશન પર શા માટે ગયો છે. બજારમાં પહોંચેલા માણસને પણ ખબર હોય છે કે પોતે ક્યા હેતુસર બજારમાં ગયો છે. પૃથ્વી પર આવી પડેલા મનુષ્યને ભાગ્યે જ ખબર હો ય છે કે પોતે શા માટે પૃથ્વી પર આવ્યો છે...??!!! બહુ થોડા માણસોનેપોતાના જીવનના ધ્યેય અંગે આછા અણસારા પ્રાપ્ત થાય છે.. આવા થોડાક માણસો જુદાપડી આવે છે..... આવા નોખા-અનોખા માણસોને સાધુ ગણવાનું ફરજિયાત નથી. સમાજ એવા માણસોને હેરાન ન કરે એટલું જ પૂરતું છે.....!! સીધી લીટીના માણસને પજવવો એ કેટલાક દુર્જનોની હોબી હોય છે. આવી પજવણી થાય ત્યારે પણ એ માણસની જીવનસુગંધ પ્રસરતી રહે છે. મનુષ્યની જીવન સુગંધને બહુમતીના ટેકાની ગરજ નથીહોતી.... કોઇ પણ બાગમાં પાંદડાં બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. ચર્ચા કાયમ પુષ્પોની જ થાય છે...

શૈક્ષણિક_બળતરા

એક ભાઈ પાસે 200 મરઘાં હતાં. એમાંથી અચાનક 10 મરઘાં મરી ગયા. ઉપરથી અધિકારીઓ આવ્યા. ચર્ચાઓ થઇ મીટીંગો થઇ. સર્વાનુમતે નક્કી થયું કે ગરમીને કારણે મરઘાં મર્યા છે. માટે એ પોલટ્રી ફાર્મ માં પંખા ઓ લગાવવા.  તાલીમો અપાઈ!! પંખા લગાવ્યા.  15 દિવસ માં બીજા 90 મરઘાં મરી ગયાં!! પાછા અધિકારીઓ આવ્યા!! ચિંતન શિબિરો થઇ!! તજજ્ઞોના અભિપ્રાયો લેવાયાં.  પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે પંખા ને કારણે નહિ પણ પંખાની ગરમ હવા ને કારણે મરઘાં મર્યા છે માટે નીચે ઠંડુ પાણી ભરી ને પંખા શરુ કરવા!! આયોજન થયા!! ગ્રાન્ટો આપી તાલીમો કરી. રેલીઓ પણ થઈ અને નીચે ઠંડુ પાણી ભર્યું!! 15 દિવસ માં બધા જ મરઘાં મરી ગયા!!! પાછી કમિટી નિમાણી!! તજજ્ઞો આવ્યા.  સર્વાનુમતે નક્કી થયું કે!! નીચે પાણી ભરવા થી અને ઉપર પંખો હોવાથી શરદી ને કારણે મરઘાં મર્યા છે!!! ખાતા ના ઉપરી અધિકારી એ અફસોસ કર્યો કે અમારી પાસે યોજના તો પુષ્કળ છે પણ હવે મરઘાં જ નથી!!! આપણી પાસે યોજના તો પુષ્કળ છે પણ સરકારી શાળામાં બાળકો રહેશે ???? શૈક્ષણિક_બળતરા