Posts

Showing posts from January, 2017

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ? ખુબજ મજાની વાત છે!  અને છતાંયે છે કંપાવી મૂકે તેવી... એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે, એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે, અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે! પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે! કોઈ નેય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી. ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે! ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?” પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું, “પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો. શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમજ

તળીયા વગર ની ઇચ્છાઓ

કયારેક વિચારો તડકા ની જેમ ઝીંકાઈ છે મારા ઉપર......મારા એકાંત ને ....મારા અંધકાર ને તહસનહશ કરી નાખે છે .સરનામુ નથી.......... ને ,એ "દિવા"માથી નીકળેલા જીન ની જેમ પ્રગટ થયા જ કરે છે . મારા અંધારા મન મા ....કોઈ ગાઢ જંગલ ની જેમ ઊંચી....લીલી....ને ધનધોરફ ...તળીયા વગર ની ઈચ્છા મારી હસ્ત રેખાઓ દાવાનંળ ની જેમ ફેલાઈ છે ...પળે.....પળે ...વિટળાઈ પડે છે એ ગાઢ જંગલ ને ....!!!!....ભીની ,ગાઢી, વાંસ ....લીલાશ પહેરી ને ભડ ભડ ....બળે છે.......!!! અસ્તીત્વ નો પયાઁય પૂછતા ઉચા લીલા વ્રૄક્ષો ની છાલ ઉખડે છે વરસોવરસ .......ને, ફરી નવી ઉગે છે ......સાપ ની કાચડી ની જેમ !! ....તળીયા વગર ની ઇચ્છા કાચ ની બોટલ ની જેમ પારદશઁક બની  લલચાવે મનેકયીરેક.....પણ એ પ્રવાહી પીવા જતા.....બે ખોબા તરસ ઉમેરાય છે ....મારા ગળા મા ....! રકત્ વાહીની ઓ નુ જાળુ સંકોચાતુ જાય છે ...અસ્તીત્વ ચારે.....તરફ ફેલાઇ છે......તુટેલી બોટલ ની જેમ મન ટુટે છે ને ખુપે છે પેટ મા ......ને ધબ ધબ કરતી લાલ ચોળ અપેક્ષાઓ વહી નીકળે છે .......એ લાલ ચોળ અપેક્ષાઓમા.....એ ગરમ ગરમ પ્રવાહી ના વહેણ મા વાળ પલાડી ને ........ભર સભા મા થયેલા અપમાન નો બદલો લ

સંબંધો નું સમીકરણ

સરસ વાત એ છે કે મને સંબંધો વિષે બહુ સમજ નથી , મારી અલગ અલગ અનેક વ્યાખ્યા ઓ છે , હું બીજા થી તદ્દન જુદું વિચારું છું એવી તો મને પેહલા થી જ ખબર હતી . કદાચ સમય કરતા વહેલો જન્મ્યો હોય એવું કોઈકવાર સમજાય , હું સમય કરતા આગળ પણ જીવી ચુક્યો હોય એવું પણ અનુભવ્યું . અને જે લોકો સમય કરતા વેહલા જીવે છે એની પાસે સમય સારી એવી કિંમત પણ વસુલે છે . મેં પણ મારા સબંધ ની કિંમત ચૂકવી છે અને બહુ આકરી ! હું જે માનુ છું તે જીવયો છું એવું હું માનુ છું ! મને નથી ખબર કે આ મારા મન ની કોઈ એક વાત અમુક  રીતે આપ વાચકો સુધી પોહ્ચશે કે નહિ , પણ મારે જે કેહવું છે તે તે આ જ , એટલું નક્કી છે ! માણસ માત્ર એના સંબંધો ને આધારે જીવે છે . બુદ્ધિશાળી હોય કે અભણ .....લૂચ્ચોહોય કે ખુબ ભોળો ..... લાગણીશીલ હોય કે અલ્ટ્રા પ્રેકટીકેલ.....કે પછી સ્માર્ટ ..... એને એના પોતાના આગવા સંબંધો હોય છે . જેને તોડવાના -સાચવવાના એના પોતાના કારણો એની પાસે હોય જ છે . આપણે સૌઉ સંબંધો માંથી જન્મેલા અનુભવ અને અનુભવ માંથી જન્મેલા વ્યક્તિત્વો છીએ . સમજદારી ખુબ સારી વાત છે!!  પણ વાત ને તોડી ને ઉખાડીને જોવાથી એનાવિષે બધું સમજાય જ જાય એવું બનતું

ન્યુકલીયર ફેમીલી

વિભક્ત કુટુંબમા નું આ એક મોટા માં મોટું દુષણ છે .જયારે ચાર જ જણા એકબીજાની સાથે રહેતા હોય ત્યારે એકબીજાની જિંદગી માં સતત દખલ દીધા કરવાની એક અજબ જેવી આદત સહુ કોઈ ને પડી જાય છે . કોણ શું ખાશે ??થી શરુ કરી ને કોણ શું પેહરશે !! કેમ અને કઈ રીતે જીવવું જોઈએ ?? અને શું ના કરવું જોઈએ એના બધા જ નિર્ણયો એકબીજા ને બદલે કરતા ,આ લોકો ધીમે ધીમે તણાવાના ની જેમ એક બીજા માં એવી રીતે ગુંથાય જાય છે કે કોઈ પાંચમી વ્યક્તિ એમના ઘરમાં ક્યારેક કે ક્યારે દાખલ થશે એવો ખ્યાલ શુધ્ધ પણ રહેતો નથી . બહુ ધ્યાન માં લેવા જેવી બાબત એ છે કે મોટા ભાગ ના માતા પિતા દીકરી ને ફક્ત એના પતિ પૂરતા જ સંબંધો નું જ્ઞાન આપેછે " સમજદારી " કે સહનશીલતા " ની જરૂર એમને કદાચ વિભક્ત કુટુંબ ના લીધે સમજાયી જ નહિ હોય ! ફક્ત ચાર જણ ની જિંદગી માં આ બે શબ્દ અને બે શબ્દ ના અનુભવ પ્રત્યક્ષ અને પરોક્ષ કે કોઈ પણ આડકતરી રીતે થયા જ ના હોય એવું પણ બનતું જ હશે !! ભણેલી , સ્માર્ટ , મોર્ડર્ન અને અર્બન યુગ ની સ્ત્રી , મોટા ભાગે કમાતી અને સ્વતંત્ર જીવન જીવેલી દીકરી જયારે પરણી  ને બીજા ને ઘેર જાય છે ત્યારે એ, બીજા ના ઘરે  ચાલી રહેલી સિસ