Posts

Showing posts from September, 2017

સંઘષૅ ની સમજ

વિજ્ઞાનના એક શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ઇયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે તે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ કુતુહલ વશ પુછ્યુ , “ સર, ઇયળમાંથી પતંગિયુ કેવી રીતે બની શકે ? એને પાંખો કેવી રીતે આવે ?” શિક્ષકે આ વિદ્યાર્થીને સમજાવવાને બદલે એવું કહ્યુ કે કાલે આપણે બધા ક્લાસમાં જ આ બાબતે પ્રેકટીકલ જોઇશું. બીજા દિવસે શિક્ષક ક્લાસમાં એક કોસેટો લાવ્યા.બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરીને કહ્યુ , “ જુવો , આ કોસેટામાંથી ઇયળ બહાર નીકળશે અને પછી એ ઇયળને પાંખો ફુટશે અને ઇયળમાંથી એ પતંગિયુ બની જશે. આ માટે સમય લાગશે તમારે બધાએ ધિરજ રાખીને ધ્યાનથી આ ઘટનાને જોવાની છે.” શિક્ષક આટલી સુચના આપીને જતા રહ્યા. હવે શું થાય છે એ ઉત્સુકતા સાથે બધા વિદ્યાર્થીઓ કોસેટોને જોવા લાગ્યા. થોડીવારમાં કોસેટાનો થોડો ભાગ તુટયો. ઇયળ બહાર આવવા માટે ખુબ સંઘર્ષ કરતી હતી. એને કોસેટોમાંથી બહાર નિકળવામાં ખુબ તકલીફ પડી રહી હતી. ઇયળ કોશેટામાંથી બહાર આવવા તરફડતી હતી એ જોઇને એક વિદ્યાર્થીને તેની દયા આવી. એણે કોસેટોને તોડીને ઇયળને સરળતાથી બહાર નિકળવામાં મદદ કરી. ઇય

મેં હું ના

હું સવાર ના છાપું વાંચી રહયો હતો...ત્યાં..રસોડામાંથી મધુર અવાજ પત્નીનો સાંભળ્યો... એ ય ! સાંભળો છો.. ચ્હા-નાસ્તો તૈયાર છે. મારા દરેક કામ પડતા મૂકી તેનો સુરીલો અવાજ સાંભળવા નો લ્હાવો હું ચુકતો નથી ... આ .એજ અવાજ..છે જયારે લગ્ન થયા હતા.. અને આજે ૬૧ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા.... આ એજ ધર્મપત્ની છે...જેની સાથે 39 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો.પણ એ હથિયાર કદી નીચે ના મુકતી... જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી હું જોઈ રહ્યો છું....તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું.. ઘડપણ..આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય. સમજ શક્તિ ખીલતી જાય  પહેલાં ..નાની.. નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા આજે.. દલીલો..ને હસવામાં કાઢી નાખીએ છીએ.. કારણ ...સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે... એક કારણ  ઉમરનું પણ છે...સતત એક બીજા ને બીક લાગે છે... કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી.. બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ . પતિ...પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા કરતા હારવા

હું ક્રાંતિ છું

સાંભળી લે! આ પહેલાં પણ હું હજારોવાર  કતલ થયો છું. ક્યારેક તીક્ષ્ણ ખંજરોના વારથી કદીક છાતીની  આરપાર  નિકળેલી તલવારથી મને બેડીઓથી  જકડીને સદીઓ બાંધી રખાયો છે. શૂળીઓ પર ટાંગી જાહેરમાં  પ્રદર્શિત કરાયો છે યા તો તેલ છાંટી જીવતો સળગાવ્યો છે. આજે પણ તૂં મને બંદૂકની ગોળીથી વીંધી નાખશે એ હું જાણું છું તેમ છતાંય મને ભરોસો છે કે, હું  ફરી કોઇ મહેનતકશ પરસેવાથી તરબતર મહેંકતા શરીરોના સંસર્ગથી ગુલામ જાંઘોની વચ્ચે મુક્તિની ઝંખના સાથે પેદા થઇ જવાનો! કેમકે હું ક્રાંતિ છું.. અને ક્રાંતિ અમર રહે છે!

એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે. દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે? સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસ

ઘર મંદીર ક્યારે બને???

  વિશ્વ  આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે  કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે .બાળક જેમ માતા ની ગોદ માં નિશિન્ત થૈ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ    હળવો થઇ   જાય છે. ગૃહસ્થ  જિવનની ઇમારત પ્રેમ થી બનેલી છે. તેના પાયા માં પ્રેમ છે. તેની  દિવાલો પ્રેમ ની ઇટો થી ચણેલી છે. તેના       છત માં પ્રેમ છે. પરિવાર માં સવ જીવ પણ પ્રેમ રુપી તાતણાં થી બંધાયેલા છે.પ્રેમ એ પ્રભુ નાં અમાપ સ્નેહ  નું નિરુપણ છે. લાગણી ભી નાં સબંધો પ્રેમ દ્વારા જ સચવાતા હોય છે.   પ્રેમ એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ-દ્વેષ, ઇર્ષા -વેર રુપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે.પ્રેમ દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે.ઘરમાં બધા એક  બીજાની હુફ ના    ભુખ્યા હોય છે. પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં , સત્સંગ કરવો ,એ જ માત્ર યાત્રા નથી . કુટુંબ માં   સર્વે સા થે રહે ,સાથે જી

બલી નો બકરો

ઈદને અહિંસક ન બનાવી શકાય ? ઇસ્લામ ધર્મ ઈન્સાનિયતનો વિરોધી હરગિઝ નથી જ, એવા ભરોસા સાથે આ વાત કહેવી છે. કહેવાય છે કે, હઝરત ઇબ્રાહિમની કસોટી કરવા ખુદાએ એક વખત એમની સૌથી પ્રિય ચીજની કુરબાની આપવા કહ્યું. ઇબ્રાહિમને પોતાનો પુત્ર સૌથી પ્રિય હતો. તેઓએ પોતાની આંખો પર પટ્ટી બાંધીને પુત્રની કુરબાની આપી, પરંતુ જયારે પટ્ટી ખોલીને જોયું તો એમના પુત્રને બદલે એમના બકરાની કુરબાની ખુદાએ કબૂલ કરી લીધી હતી અને એમનો પુત્ર સલામત જ ઊભો હતો. આ ઘટનાના પ્રતીક રૂપે ઇદની ઉજવણી માટે બકારાનું બલિદાન આપવાની ટ્રેડિશન છે. સીધો સાદો સવાલ એ થાય કે હિંસાનો માર્ગ કદીય ધર્મનો માર્ગ હોઈ શકે ખરો ? ઇમ્પોર્ટન્ટ સવાલ તો એ પણ છે કે, બીજાના જીવની કુરબાની આપવાનો આપણને હક જ કેટલો ? અરે, નીતિની અને ઈમાનની વાત કરીએ તો બીજાની કોઈ નિર્જીવ વસ્તુ પર પણ આપણો કશો હક નથી હોતો, તો બીજા નિર્દોષ અને અબોલ જીવની કુરબાની આપવાનો હક કઈ રીતે મળે ? જો પ્રિય ચીજ ભેટ આપવી જ હોય તો શું પોતાનો જીવ પ્રિય નથી હોતો ? કેમ કોઈ પોતાની કુરબાની નથી આપતું ? શું દરેક મુસલમાનને બકરો જ પ્રિય હોય છે ? કુરબાની અને બલિ માટે હંમેશાં કાયર અને કમજોર પ્રાણીઓ